Latest News

Shri Amitabhai Shah inaugurates the PSA Oxygen Plant with a capacity of 280 liters at Covid Hospital, Kolwada

કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે કોવિંડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે ૨૮૦ PSA ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ વેળાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ઉમેર્યું હતું કે, કોલવડા ખાતે આજે 66 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમને આજ થી ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ બનશે. દર મિનિટે 280 લીટર ઓક્સિજન દર્દીઓને મળશે . એટલું જ નહીં આકસ્મિક સમય માટે ઓક્સિજન સિલિન્ડર પણ અહીં ઉપલબ્ધ કરાયા છે જેનાથી દર્દીઓને કોઈ તકલીફ પડે નહીં. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને આયોજન હેઠળ દેશભરમાં પી.એમ.કેર ફંડમાંથી ઓક્સિજન પૂરો પાડવા માટે એક ખાસ અભિયાન હાથ ધરાયું છે જેના ભાગરૂપે ગુજરાતમાં નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે જે ટૂંક સમયમાં કાર્યરત કરાશે. અને વધારાનો ઉત્પાદિત ઓક્સિજનનો જથ્થો અન્ય રાજ્યોને પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું કે ગુજરાત ઉદ્યોગિક રાજ્ય છે ત્યારે ઓક્સિજનનું  પણ વધુ ઉત્પાદન થઈ રહ્યું છે જે અન્ય લોકોને મદદરૂપ થશે.

શ્રી અમિતભાઈ શાહે તેમના સંસદીય મતવિસ્તારમાં ગ્રામીણ નાગરિકો માટે ઉપલબ્ધ કરાયેલ સેવાઓ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલને અભિનંદન પાઠવતા કહ્યું કે, શ્રી વિજયભાઈ અને શ્રી નીતિનભાઈ પટેલે ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર વખતે જે રીતે કામગીરી કરી હતી એ જ રીતે આજે પણ કોરોનાની બીજી લહેરમાં મક્કમ રીતે લડાઈ લડી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે કે આ બીજા તબક્કામાં પણ આપણે કોરોનાને હરાવીને ગુજરાતના નાગરિકોને બહાર લાવીને સુરક્ષિત કરશું.

તેમણે ઉમેર્યું કે, ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ટાટા સન્સ અને ડી.આર.ડી.ઓ.ના સહયોગથી 1200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત બનશે.જેમાં 600 બેડ ICU ની સુવિધા ઉપલબ્ધ હશે. જેનો લાભ પણ સત્વરે નાગરિકોનો મળતો થશે, આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે એમ પણ ઉમેર્યું હતું.

આ પ્રસંગે કોવિંડની કામગીરી માટે નિયુકત કરાયેલ ગાંધીનગર જિલ્લાના  પ્રભારી શ્રી સુનયના તોમર,ગાંધીનગર જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય, મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર રતન કવર ગઢવી ચારણ સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Source: Information Department, Gujarat