Latest News

CM Dedicates Rs. 207 Cr Development Works at Sabarkantha, including Rs. 96 cr Water Supply Scheme

    સાબરકાંઠાના ઇડર-વડાલી-ખેબ્રહ્માની વરસો જૂની પેય જળ સમસ્યાનું નિવારણ કરતી રાજ્ય સરકાર

    ધરોઇ ડેમ આધારિત ૯૬.૧ર કરોડની પાણી પૂરવઠા યોજનાનું લોકાર્પણ

    હિંમતનગર-અંબાજી માર્ગ ફોરલેન કરાશે-પદયાત્રીઓ માટે પગદંડી બનશે-  

    રૂા. ૩ર૬ કરોડના વિકાસ કામો આવનારા દિવસોમાં હાથ ધરશે રાજ્ય સરકાર

    મુખ્યમંત્રીશ્રીના હસ્તે સાબરકાંઠામાં રૂા. ર૦૭ કરોડના વિકાસકામોના પ્રજાપર્ણ

            મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં હરેક પ્રજાજન-નાગરિકને ઘરઆંગણે શુધ્ધ પીવાનું પાણી પુરૂં પાડવા સર્વગ્રાહી આયોજન સરકારે કર્યુ છે.

           સરફેસ વોટર પૂરૂં પાડીને ગુજરાતને હેન્ડ પમ્પ-ટેન્કર-બોર મૂકત રાજ્ય બનાવવાની નેમ તેમણે દર્શાવી હતી.

           મુખ્યમંત્રીશ્રી સાબરકાંઠાના ઇડર-વડાલી-ખેડબ્રહ્મા નગરોને પર્યાપ્ત પાણી પુરૂં પાડનારી રૂ. ૯૬.૧ર કરોડની ધરોઇ આધારિત પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ અવસરે સંબંધોન કરી રહ્યા હતા.

            શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સરફેસ વોટર આપવાની દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે. ૧૬૭ નગરો અને ચાર હજાર ઉપરાંત ગામડાંઓમાં સરફેસ વોટર પહોચાડયું છે. એટલું જ નહી ૬૦૦ કિ.મી. દૂરથી નર્મદા-ઉકાઇ-ધરોઇ અને કડાણામાંથી પાઇપલાઇન દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી પહોચાડયુ છે.

            આ પ્રસંગે સાપાવાડા કોટન માર્કેટ, ખેતપેદાશોના સંગ્રહ માટેના ૧૦ ગોડાઉન, અરોડા અને વિરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ભદ્રેસર અને દેશોતર સબ સેન્ટર મુડેટી ખાતે રાજ્ય અનામત પોલીસ દળની ઓફીસ-બેરેક-આવાસ, હિમંતનગર ખાતે ૧૯ર જેટલા નવીન પોલીસ આવાસ, પોશીના ખાતે નવીન પોલીસ સ્ટેશન-આવાસો, ખેડબ્રહ્મા ખાતે સ્ટાફ કર્વાટર તથા ડી-૧ યુનિટ સહિત રૂા. ર૦૭ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરાયુ હતું. વિધાનસભા અધ્યક્ષ શ્રી રમણભાઇ વોરા આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

            મુખ્યમંત્રીશ્રીએ હિમંતનગર-અંબાજી માર્ગને ચારમાર્ગીય ફોરલેન બનાવવાની જાહેરાત કરતા જણાવ્યુ હતું કે આ કામ હાલ પ્રગતિમાં છે રૂા. ૩ર૬ કરોડના ખર્ચે આ કામ હાથ ધરાયુ છે. રસ્તો પહોળો  કરવા ઉપરાંત મુસાફરોની સુરક્ષા અને પદયાત્રીઓની સલામતીને પણ પ્રાધાન્ય આપ્યુ છે.

            રાજ્યમાં ધાર્મિક સ્થાનોને જો માર્ગો પર પગદંડી બનાવવા રાજ્ય સરકાર આગ્રહી છે અને હિંમતનગર-અંબાજી ચાર માર્ગી પર પણ એ દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે એમ તેમણે ઉમેર્યુ હતું.

            મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજથી ઇડર-વડાલીના જનતાને રોજ-રોજ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરી છે. અગાઉ ૪પ વર્ષ સુધી શાસનમાં રહેલી કોંગ્રેસે પ્રજાની સમસ્યાઓ ઉકેલી નહી. દીર્ઘદ્રષ્ટિ- આયોજન અને ઇચ્છાશકિતના અભાવે પ્રજાની ઇચ્છાઓ ન સંતોષાઇ પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયોજનબધ્ધ અને દીર્ઘદ્રષ્ટિથી કામ કરીને જનસુવિધાઓ ઉપલબ્ધ કરી એમ તેમણે ઉમેર્યુ હતું.

            મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે અમારી સરકાર ગરીબો-પીડિતો-શોષિતોની સરકાર છે ત્યારે જરૂરિયાતમંદોને સસ્તી દવા-ગુણવત્તાયુકત સારવાર-સસ્તા ઓપરેશનની સુવિધા ઊભી કરી છે. ગરીબોને માત્ર ૧૦ રૂા માં ભોજન, જમીન વિહોણાઓને મકાન આપવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

            સાથે સાથે જ્યોતિગ્રામ યોજના દ્વારા અંધરા ઉલેચ્યા છે એટલું જ નહી પરંતુ ખેડૂતોની વીજ કનેકશનની માંગ સંતોષવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં રસ્તા-ગટરના પુર્ણ કરાયેલા કામોની વિગતો આપી હતી.

            મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સદાચારી-વ્યસનમુકત અને અહિંસક ગુજરાત બને તે માટે કટિબધધ રાજ્ય સરકાર ગૌહત્યા અટકાવવા-ગૌસુરક્ષા માટેનો નિર્ણય કર્યો છે અને દારૂબંધીનો અમલ કડક બનાવ્યો છે, એમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે જ્ઞાતિ-જાતિ-ધર્મથી ઉપર ઉઠીને સમૃધ્ધ ગુજરાત નિર્માણ માટે આહવાન કર્યુ હતું.

            ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાજ્યના સર્વસમાવેશક વિકાસની નેમ રાખી છે અને તેના પગલે તમામ જિલ્લાઓનો સમતોલ વિકાસ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં માત્ર ઇડર વિધાનસભા વિસ્તારમાં રૂા. પ હજાર કરોડના વિકાસકામો કરાયા છે. સાથે સાથે ખેડૂતોના હિત માટે ગોડાઉન બનાવાયા છે અત્યાર સુધીમાં રૂા. ૪૮ર કરોડના ગોડાઉન બન્યા છે અને આજે નવ-દશ ગોડાઉન કાર્યાન્વિત કરાયા છે. આજ વિસ્તારમાં રૂા. ૬૩પ કરોડના રસ્તાના કામો પાંચ વર્ષમાં સંપન્ન થયા છે.

            અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સાબરકાંઠા જિલ્લામાં અન્ય વિકાસના કામોને મંજૂરી આપી છે જેમાં ઇડર ખાતે ૧૦૦ બેડની હોસ્પિટલ, સાબરમતી ગેસ લાઇનને ઇડરથી વડાલી સુધી લંબાવવી, રાણી તળાવ બ્યૂટી ફીકેશનનો સમાવેશ થાય છે, સાથે સાથે કૂબા ધરોલ ઉદ્દવહન યોજનામાંથી રર તળાવો ભરાયા છે અને આગામી સમયમાં ૧૬ તળાવો ભરવા તેમજ ધરોઇ ડાબા કાંઠાની કેનાલમાંથી અન્ય ૧૬ તળાવો ભરવાની યોજના રાજ્ય સરકારે મંજૂર કરી છે, એમ તેમણે ઉમેર્યુ હતું.

            આ ઉપરાંત ઇડરના પૂર્વ વિસ્તાર માટે પાઇપલાઇન દ્વારા ૮ ગામોને નર્મદા યોજનાની પાઇપ લાઇન દ્વારા ઇડરના પૂર્વ વિસ્તાર અને સાબરકાંઠા પૂર્વ વિસ્તારના ૪૦ તળાવો ભરવાની યોજનાઓ આગામી સમયમાં હાથ ધરાશે એમ તેમણે ઉમેર્યુ હતું.

            આ પ્રસંગે ઇડર અને વડાલી એ.પી.એમ.સી. દ્વારા એક એક લાખનો ચેક કન્યા કેળવણી નિધિમાં મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરાયો હતો. અનેક સંસ્થાઓ-સંગઠનો સ્વૈચ્છિક સંસ્થાઓ- સમાજ પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીશ્રીનું અને અન્ય મહાનુભાવોનું સ્વાગત-સન્માન કર્યુ હતું.

            જિલ્લા કલેકટરશ્રી પી. સ્વરૂપે સ્વાગત પ્રવચનમાં યોજનાની જાણકારી આપી હતી.

            આ પ્રસંગે ઉજવલ્લા યોજનાના ૧૦૦૦ જેટલા લાભાર્થીઓને તથા વાડાની જમીન નિયમિતના લાભાર્થીઓને કીટ સહાયનું પણ વિતરણ કરાયું હતું.

            આ પ્રસંગે મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પ્રભારી અને વાહન વ્યવહાર મંત્રીશ્રી વલ્લભભાઇ કાકડીયા, સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, આદિજાતિ વિકાસ નિગમના ચેરમેન શ્રીમતી રમીલાબેન બારા, અગ્રણી શ્રી અશોકભાઇ ભાવસાર સહકારી અગ્રણી શ્રી જેઠાભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, જ્યંતભાઇ પટેલ ઉપરાંત પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવશ્રી મૂકેશ પુરી, જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી જ્યંતિ રવિ, હથિયારી એકમના ડી. જી. પ્રમોદકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રવિણમાલ સહિત અધિકારી-પદાધિકારીઓ અને શહેરીજનો તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    Source: Information Department, Gujarat