Latest News

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ વિમાની મથકેથી ભાવસભર વિદાય અપાઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ત્રી – દિવસીય પ્રવાસ પૂર્ણ કરી નવી દિલ્હી જવા અમદાવાદ વિમાની મથકેથી વિદાય લીધી હતી.

***

આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ, પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, અમદાવાદના કલેકટરશ્રી સંદિપ સાગલે, ડી.જી.પી. આશિષ ભાટિયા વિગેરેએ પ્રધાનમંત્રીશ્રીને ભાવસભર વિદાય આપી હતી.

Source: Information Department, Gujarat