Latest News

ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ જામનગરની મુલાકાત લઈ સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રીશ્રી

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

    મુખ્યમંત્રીશ્રીએ આ અસર ગ્રસ્ત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન અને હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી.

    તેમણે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પણ વિગતો મેળવી હતી.

    મુખ્યમંત્રી શ્રી સાથે આ વેળાએ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર શ્રી બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

    Source: Information Department, Gujarat