મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા મંદિરમાં બનેલી કોવિડ હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

મહાત્મા મંદિર ગાંધીનગરમાં ૯૦૦  બેડની કોવિડ હોસ્પિટલ કોરોના સંક્રમિતોની સારવાર માટે માત્ર ૨૪ કલાકમાં જ શરૂ થઇ જાય તેવી સંપૂર્ણ સજ્જ હોસ્પિટલ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા મંદિરમાં બનેલી કોવિડ હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કરી વિસ્તૃત જાણકારી મેળવી ગુજરાતમાં સીધા જ હવામાથી ઓક્સિજન ઉત્પાદન થાય તેવા PSA ( Pressure Swing Adsorption) પ્લાન્ટ શરૂ કરી […]

કોરોના મહામારીના સંક્રમિતોની સારવારમાં રાજકોટના યુવાઓનું યોગદાન ઉપયોગી બનશે :- મુખ્યમંત્રી શ્રી

આત્મનિર્ભર ભારત–મેઇક ઇન ગુજરાતની નેમ સાકાર કરતું પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટર રાજકોટના યુવાઓએ નિર્માણ કર્યુ ………… ફેરબી ટેકનોલોજીની આ પ્રોડકટ રશિયન સ્ટાટર્ન્ડડ મુજબના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરીઓ મેળવી પ્રાયોગિક ધોરણે ટ્રાયલ રન માટે અપાશે ………… મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ પ્રોડકટનું નિદર્શન થયું ………… કોરોનાની પ્રવર્તમાન મહામારીમાં આ મહામારીથી વધુ સંક્રમિત દરદીઓની સારવાર માટે ઓકસીજનની જરૂરિયાત સ્થાનિક […]

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો મહત્વપૂર્ણ-સંવેદનશીલ નિર્ણય

મા અને મા વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં મોટી રાહત કોરોના સંક્રમણનીસ્થિતિમાં તારીખ ૧૦મી જુલાઈ ૨૦૨૧ સુધી નિર્ણય અમલમાં રહેશે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં દરરોજના રૂ. ૫૦૦૦ સુધીની મર્યાદામાં ૧૦ દિવસના રૂપિયા ૫૦,૦૦૦ રૂપિયા સુધીની સારવારમા કાર્ડ અને મા વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વિનામૂલ્યે મળશે.   […]

અમેરિકાના ગુજરાતીઓ દ્વારા ગુજરાતને કોરોનાથી બચાવવા જરૂરી સંશાધનો-આર્થિક સહયોગની પહેલને આવકારતાં મુખ્યમંત્રી

-: મુખ્યમંત્રીશ્રી રૂપાણી :- ગુજરાતે કોરોના સામે લડવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ઓછા સમયમાં મહત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે એક સપ્તાહમાં તમામ સ્ત્રોતનો ઉપયોગ કરીને ગુજરાતમાં જરૂરિયાત મુજબનો ઓક્સિજન પ્રાપ્ત થાય તે દિશામાં આગળ વધી રહ્યા છીએ તે માટે નવા નવા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે સંક્રમણ અટકાવવા રાજ્યના વધુ ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુનો […]

IMA સંલગ્ન તમામ તબીબો કોરોના મહામારી સામેની લડતમાં તંત્ર સાથે જોડાય તે સમયની માંગ : મુખ્ય મંત્રી શ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાના વધતા કેસ સામે હોસ્પિટલ, બેડ અને અન્ય સંસાધનોની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે. આવા સમયે રાજ્યના ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ શાખાના તબીબો કોરોના મહામારી સામેની લડતમાં વહીવટી તંત્ર સાથે જોડાય તે સમયની માંગ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતેથી મુખ્ય […]